આપણે જીવન જીવવા માટે જેમ હવા,પાણી અને ખોરાક ની જરૂર પડે છે. તેમ સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જો પૂરતી ઊંઘ લેવામાં ના આવે તો સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઑ થવાની સંભાવના વધીજાય છે. માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
પૂરતી ઊંઘના ફાયદા
રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
સ્વસ્થ અને લાંબુ આયુષ્ય મળે.
વ્યક્તિ એક્ટિવ રહેછે.
એકાગ્રતા સારી રહે છે.
યાદ શક્તિમાં વધારો થાય છે.
નિર્ણય શક્તિ પાવરફૂલ બને છે.
ઇચ્છા શક્તિ પ્રબળ થાયછે.
સ્ટ્રેસ ઓછો થાય છે.
મૂડ સ્વિંગ્સ થાતું નથી ,અચાનક ગુસ્સે થવું ,અચાનક રડવું એવું બનતું નથી . ટૂકમાં સેલ્ફ કંટ્રોલ સારો રહે છે.
માટે મિત્રો બને ત્યાં સુધી પૂરતી ઊંઘ લેવી.6 થી 8 કલાક તો ઊંઘ લેવીજ જોઈએ.જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે અને રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય.
0 Comments