સ્વસ્થ રહેવા માટે સોશિયલ નેટવર્ક છોડો. 


                      સોશિયલ મીડિયા આજના સમયમાં લોકોના જીવનનું એક મહત્વનુ અંગ બની ગયું છે.જેના   વગર જીવન ચલાવવું કદાચ અસક્ય છે.  સોશિયલ મીડિયાનો  ઉપયોગ  એટલા પ્રમાણ માં વધ્યો છે કે જેના વગર લોકો   રહી શકતા નથી. આ એક પ્રકારની આદત  બનીગયુ  છે. જેના  કારણે સમય તો  બગડેજ છે   પણ સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. અને તણાવ ઉત્પન્ન થાય છે. 
                       જર્મન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે ખુશ અને સ્વસ્થ રહેવામાટે સોશિયલ મીડિયા થી દૂર રહેવું જોઈએ . આનંદમય જીવન જીવવા માટે રોજ 25 મિનિટજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ . 

        રિસર્ચ મુજબ 

                        જર્મનીની રૂહર યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં 286 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો . આ તમામ લોકો રોજ 1 કલાક થી વધૂ સમય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. 3 મહિના ચાલેલા આ રિસર્ચ પ્રમાણે દિવસ દરમિયાન 25 મિનિટ થી ઓછો સમય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો અન્ય લોકો કરતા વધારે ખુશ જોવા મળ્યા .અને તેમની જીવન શૈલીમાં ફેરફાર આવ્યો હતો .  
             સોશિયલ મીડિયાથી દૂર રહેનાર લોકોમાં વ્યાસનનું પ્રમાણ ઓછું હતું. 
                                       
                             આ રિસર્ચ માં સામેલ લીડ રિસર્ચર જુલિયા બ્રિલોવસ્કીયા ના જણાવ્યા પ્રમાણે .ફેસબુકનો ઉપયોગ ઓછો કર્યા પછી લોકો વધારે સક્રિય જોવા મળ્યા. આ લોકોમાં પહેલાની સરખામણીએ ધુમ્રપાન ઓછું થવા લાગ્યું હતું.  
                             

 લેખન અને સંપાદન :

                         આ લેખ તમે 'thecare4life' ના માધ્યમ થી વાંચી રહયાછો. અમારો આ લેખ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર , મને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખ ને  વધુમાં વધુ શેર કરો.


બસ એવુજ કઈંક જીવન જરૂરી તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણા સૌનું પ્રિય એવું 'thecare4life'પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે અવસ્ય શેર કરો. 


નોંધ : આ લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
 આભાર